La sourate An-Naziat en Gujarati
ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ |
બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ |
અને તરવા-ફરનારાઓ ના સોગંદ |
પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ |
પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ |
જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે |
ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે |
(કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે |
તેમની આંખો ઝુકેલી હશે |
કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું |
શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું |
કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે |
(ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે |
પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે |
શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી |
જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો |
(કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે |
અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે |
અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે |
પછી તેને મોટી નિશાની બતાવી |
તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી |
પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો |
પછી સૌને ભેગા કરી પોકાર્યા |
તમારા સૌનો પાલનહાર હું જ છું |
તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો |
હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે |
શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ |
તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું |
અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો |
અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી |
તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો |
અને પર્વતોને (સખત) ખોડી દીધા |
આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે) |
તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે |
તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે |
અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે |
તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે) |
અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે) |
(તેનું) ઠેકાણું જહન્નમ જ છે |
وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ(40) હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે |
તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે |
લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે |
તમને તેની ચર્ચા કરવાની શી જરૂર |
તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે |
તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો |
كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا(46) જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate An-Naziat : choisissez le récitateur pour écouter et télécharger la sourate An-Naziat complète en haute qualité.















Donnez-nous une invitation valide