સૂરા અન-નાઝિયાત
PDF —
Built right in your browser — download starts automatically
સૂરા અન-નાઝિયાત pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અન-નાઝિયાત pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અન-નાઝિયાત ભાષાંતર. અન-નાઝિયાત (Meccan) 46 આયત.
Related
- અન-નાઝિયાત ભાષાંતરગુજરાતી
- અન-નાઝિયાત mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અન-નાઝિયાત

ﮢﮣﮤ
ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ
ﮥﮦﮧ
બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ
ﮨﮩﮪ
અને તરવા-ફરનારાઓ ના સોગંદ
ﮫﮬﮭ
પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ
ﮮﮯﮰ
પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ
ﮱﯓﯔﯕ
જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે
ﯖﯗﯘ
ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે
ﯙﯚﯛﯜ
(કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે
ﯝﯞﯟ
તેમની આંખો ઝુકેલી હશે
ﯠﯡﯢﯣﯤﯥ
કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું
ﯦﯧﯨﯩﯪ
શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું
ﯫﯬﯭﯮﯯﯰ
કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે
ﯱﯲﯳﯴﯵ
(ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે
ﯶﯷﯸﯹ
પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે
ﯺﯻﯼﯽﯾ
શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી
ﯿﰀﰁﰂﰃﰄﰅ
જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો
ﭑﭒﭓﭔﭕﭖ
(કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે
ﭗﭘﭙﭚﭛﭜﭝ
અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે
ﭞﭟﭠﭡﭢ
અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે
ﭣﭤﭥﭦ
પછી તેને મોટી નિશાની બતાવી
ﭧﭨﭩ
તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી
ﭪﭫﭬﭭ
પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો
ﭮﭯﭰ
પછી સૌને ભેગા કરી પોકાર્યા
ﭱﭲﭳﭴﭵ
તમારા સૌનો પાલનહાર હું જ છું
ﭶﭷﭸﭹﭺﭻ
તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો
ﭼﭽﭾﭿﮀﮁﮂ
હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે
ﮃﮄﮅﮆﮇﮈﮉﮊ
શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ
ﮋﮌﮍﮎ
તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું
ﮏﮐﮑﮒﮓ
અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો
ﮔﮕﮖﮗﮘ
અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી
ﮙﮚﮛﮜﮝ
તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો
ﮞﮟﮠ
અને પર્વતોને (સખત) ખોડી દીધા
ﮡﮢﮣﮤ
આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે)
ﮥﮦﮧﮨﮩ
તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે
ﮪﮫﮬﮭﮮﮯ
તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે
ﮰﮱﯓﯔﯕ
અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે
ﯖﯗﯘﯙ
તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે)
ﯚﯛﯜﯝ
અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)
ﯞﯟﯠﯡﯢ
(તેનું) ઠેકાણું જહન્નમ જ છે
ﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬ
હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે
ﯭﯮﯯﯰﯱ
તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે
ﯲﯳﯴﯵﯶﯷ
લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે
ﯸﯹﯺﯻﯼ
તમને તેની ચર્ચા કરવાની શી જરૂર
ﯽﯾﯿﰀ
તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે
ﰁﰂﰃﰄﰅﰆ
તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો
ﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐ
જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







